ચૂંટણી આવે ને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂલની જ સરકાર રહેશે: મમતા બેનર્જી
BY Connect Gujarat Desk5 March 2024 3:48 AM GMT
X
Connect Gujarat Desk5 March 2024 3:48 AM GMT
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં તેમની સરકાર બની રહેશે. તેમણે કહ્યું કે ચૂંટણી આવે ને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર જ સત્તામાં રહેશે. તેમણે કહ્યું કે તેમને પાર્ટીની તાકાત પર પૂરો વિશ્વાસ છે. જો તે વધુ કે ઓછા મતો મેળવે તો પણ તૃણમૂલ કોંગ્રેસ ટકી રહેશે. જે લોકો પાર્ટી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે તેમણે સાવધાન રહેવું જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી ટાણે દિલ્હીથી કેટલાક લોકો આવે છે, પછી તેઓ આખું વર્ષ ડોકાતા પણ નથી. કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ તેઓ આવતા નથી. મમતા બેનર્જી સોમવારે પૂર્વ મેદિનીપુરમાં સરકારી વિતરણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પરંપરાગત ઢોલ વગાડીને કલાકારો સાથે લોકનૃત્ય પણ કર્યું હતું.
Next Story