બજેટ સત્ર દરમિયાન લોકસભામાં 35 સુધારા સાથે ફાઇનાન્સ બિલ પસાર કરવામાં આવ્યું

મંગળવારે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં 35 સુધારા સાથે ફાઇનાન્સ બિલ પસાર કરવામાં આવ્યું. આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

New Update
soganda
મંગળવારે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં 35 સુધારા સાથે ફાઇનાન્સ બિલ પસાર કરવામાં આવ્યું. આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. સાંસદો કેન્દ્ર પર મનરેગા માટે પશ્ચિમ બંગાળને આપવામાં આવતા ભંડોળને રોકવાનો આરોપ લગાવી રહ્યા હતા. આ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણને દલાલ કહ્યા.બેનર્જીએ કહ્યું- શિવરાજ બંગાળીઓની વિરુદ્ધ છે. તેઓ ગરીબો માટે કંઈ કરી રહ્યા નથી. શિવરાજ અમીરોનો દલાલ છે. તેમણે મધ્યપ્રદેશના ગરીબો માટે કામ કર્યું ન હતું, તેથી તેમને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવામાં આવ્યા.બીજી તરફ, કોંગ્રેસે લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી. પાર્ટીએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પર ખોટા નિવેદનો આપીને ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.
Advertisment
Advertisment
Latest Stories