હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી, 6 લોકોના મોત

New Update
હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી, 6 લોકોના મોત

હૈદરાબાદના સિકંદરાબાદમાં ગુરુવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે અમને છ લોકોના મોતની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.

ઉત્તર ઝોનના ડીસીપી ચંદના દીપ્તિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ચાર યુવતીઓ અને બે યુવકો સહિત છ લોકોના મોત થયા છે, જ્યારે આગ લાગી ત્યારે આ લોકો અંદર હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓની હાલત નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમે 7 લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો તેલંગાણાના વારંગલ અને ખમ્મમ જિલ્લાના રહેવાસી છે. આ લોકો એક માર્કેટિંગ કંપનીમાં કામ કરતા હતા, જેની ઓફિસ આ બહુમાળી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

Latest Stories