Connect Gujarat
દેશ

આસામના ગોલાઘાટમાં ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર, 12ના મોત, 30 ઘાયલ

આસામના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ વિસ્તાર પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આસામના ગોલાઘાટમાં ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર, 12ના મોત, 30 ઘાયલ
X

આસામના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ વિસ્તાર પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. જયારે 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગોલાઘાટના એસપી રાજેન સિંહે માહિતી આપી હતી કે ગોલાઘાટના ડેરગાંવ પાસે બલિજાન વિસ્તારમાં સવારે લગભગ 5 વાગે આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ બસમાં 45 લોકો સવાર હતા. જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે પત્રકારોને જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ 30 લોકોની સારવાર ચાલી રહી છે. બસ ગોલાઘાટના કામરગાંવથી તિનસુકિયા જિલ્લાના તિલિંગા મંદિર તરફ પિકનિક માટે જઈ રહી હતી ત્યારે સવારે સાડા ચાર વાગ્યે તે રસ્તા પર એક ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે માહિતી આપી હતી કે જોરહાટ દિશામાંથી ટ્રક ખોટી દિશામાં આવી રહી હતી.

Next Story