/connect-gujarat/media/media_files/qeQx0VlQ1VfufG5UY2D2.png)
સુપ્રીમકોર્ટે અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિતજનજાતિ(ST) ને અનામતમુદ્દે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે.
કોર્ટે કહ્યું કેSC અનેST માં સબકેટેગરી બનાવવામાં આવી શકે છે. સાત સભ્યોની બંધારણીય બેન્ચે6/1 થી આ ચુકાદોસંભળાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડ સહિત6 જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી2004 માં આપવામાં આવેલા5 જજોનો ચુકાદો પલટાઈ ગયો છે.2004નાચુકાદા અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કેSC અનેSTમાંસબ કેટેગરી ન બનાવી શકાય.
તેની સાથે જ કોર્ટે2004 માં ઈવી ચિન્નૈયા મામલે આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. વર્તમાન બેન્ચે2004માં આપેલા એ ચુકાદાની અવગણના કરી દીધી છે.જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કેSC/ST જનજાતિઓમાં સબ કેટેગરી ન બનાવી શકાય.