બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવવામાં આવી રહેલી પ્રતિમાઓમાં તોડફોડ, પેટ્રોલ છાંટી સલગાવાનો પણ પ્રયાસ

Featured | સમાચાર, બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવવામાં આવી રહેલી મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. 31 ઓગસ્ટની રાત્રે મેઘાલય સરહદને અડીને આવેલા બાંગ્લાદેશના

New Update
Screenshot_2024-09-02-07-12-24-27_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવવામાં આવી રહેલી મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. 31 ઓગસ્ટની રાત્રે મેઘાલય સરહદને અડીને આવેલા બાંગ્લાદેશના શેરપુર જિલ્લામાં એક મંદિરમાં કેટલાક બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. શનિવારે મોડી રાત્રે બદમાશોએ શેરપુરના બારવારી મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

મંદિર સમિતિના જનરલ સેક્રેટરી સાગર રવિદાસે જણાવ્યું કે કેટલાક બદમાશોએ મંદિરના તાળા અને સાંકળ તોડી અંદર પ્રવેશ કર્યો. આ પછી તેઓએ માટીથી બનેલી દેવી માતાની મૂર્તિ તોડી નાખી. આ પછી પેટ્રોલ છાંટીને પૂતળાને બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જો કે, કોઈ કારણોસર પ્રતિમાને આગ લાગી શકી ન હતી. આ પછી બદમાશો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.