સુપ્રીમ કોર્ટમાં બુધવારે (12 જૂન)ના રોજ દિલ્હી જળ સંકટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે દિલ્હીની AAP સરકારને જળ સંકટ મામલે ટેન્કર માફિયાઓને રોકવા માટે ઠપકો આપ્યો હતો.કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે જળ સંકટ ઘેરુ બની રહ્યું છે.
ટેન્કર માફિયાઓ સામે અત્યાર સુધીમાં શું પગલાં લીધાં છે? કે અમે પોલીસને આદેશ આપીએ? જો તમે કાર્યવાહી ન કરી શકો તો અમે દિલ્હી પોલીસને કાર્યવાહી કરવા માટે કહીએ.જસ્ટિસ પીકે મિશ્રા અને પીબી વરાલેની બેન્ચે દિલ્હી સરકારને પૂછ્યું કે તેमણે જળ સંકટ મામલે શું પગલાં લીધાં છે. આનો જવાબ આજે કે કાલે આપો. આ કેસની સુનાવણી 13 જૂને થશે.