Connect Gujarat
દેશ

આજે ભારત ઈતિહાસ રચશે !ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડ થશે,સાંજે 5.20 વાગ્યાથી જીવંત પ્રસારણ

આજે ભારત ઈતિહાસ રચશે !ચંદ્રયાન-3 સાંજે 6.04 કલાકે ચંદ્ર પર લેન્ડ થશે,સાંજે 5.20 વાગ્યાથી જીવંત પ્રસારણ
X

ભારતને 23 ઓગસ્ટે ઐતિહાસિક સફળતા મળશે જ્યારે ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આખો દેશ ચંદ્રયાન-3ને સોફ્ટ લેન્ડિંગમાં સફળ થતો જોવા માંગે છે. ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાના એક દિવસ પહેલા ISROએ મંગળવારે કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે.

ઇસરોએ જણાવ્યું કે MOX/ISTRAC થી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)ને વહન કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાનો અંદાજ છે.

ચંદ્રયાન 3ના સોફ્ટ-લેન્ડિંગ'નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3નું 'સોફ્ટ લેન્ડિંગ' એક યાદગાર ક્ષણ હશે. આ માત્ર ભારતીયોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરતું નથી, પરંતુ ચંદ્ર વિશે વધુ જાણવા માટે આપણા યુવાનોમાં ઝનૂન પણ પેદા કરે છે. આ મહત્વપૂર્ણ ઘટનાનું જીવંત પ્રસારણ 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST સાંજે 17:27 વાગ્યે શરૂ થશે.ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે અહીં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે સ્થિત મિશન ઓપરેશન કોમ્પ્લેક્સમાં ઉત્સાહનું વાતાવરણ છે.

Next Story