ઈસરોએ રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી PSLV-C60 રોકેટથી 2 નાના અવકાશયાન કર્યા લોન્ચ

ઈસરોએ છેલ્લા ઘણા વર્ષોમાં મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ જ કારણ છે કે ઇસરો હવે અમેરિકાની નાસા જેવી અવકાશ સંસ્થાને સખત સ્પર્ધા આપી રહ્યું છે. દરમિયાન આજે ઈસરોએ ઈતિહાસ રચ્યો

New Update
shrikota

shrikota

ઈસરોએ છેલ્લા ઘણા વર્ષોમાં મોટા રેકોર્ડ બનાવ્યા છે. આ જ કારણ છે કે ઇસરો હવે અમેરિકાની નાસા જેવી અવકાશ સંસ્થાને સખત સ્પર્ધા આપી રહ્યું છે. દરમિયાન આજે ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટાથી PSLV-C60 રોકેટથી 2 નાના અવકાશયાન લોન્ચ કર્યા છે. આ પ્રથમ વખત હશે, જ્યારે ISRO પૃથ્વીથી 470 કિલોમીટર ઉપર બે રોકેટનું ડોકીંગ અને અનડોકિંગ કરશે. એટલે કે હજારો કિલોમીટર. 200 કિમી/કલાકની ઝડપે ઉડતા, બે અવકાશયાનને પહેલા જોડવામાં આવશે અને પછી તેમને અલગ કરવામાં આવશે. 

આ મિશનની સફળતા બાદ ભારત અમેરિકા, રશિયા અને ચીનની ચુનંદા ક્લબમાં સામેલ થઈ ગયું છે. ઈસરોના આ મિશનનું નામ છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે સ્પાડેક્સ. ભારત માટે ગર્વની વાત છે કે ઈસરોએ હવે આ ડોકિંગ સિસ્ટમની પેટન્ટ લીધી છે. કારણ કે, સામાન્ય રીતે કોઈ પણ દેશ ડોકીંગ અને અનડોકિંગની મુશ્કેલ વિગતો શેર કરતું નથી. તેથી ઈસરોએ પોતાની ડોકીંગ મિકેનિઝમ બનાવવી પડી 

અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું સપનું અને ચંદ્રયાન-4ની સફળતા આ મિશન પર ટકી છે. આ મિશનમાં 2 અવકાશયાન સામેલ છે. એકનું નામ છે લક્ષ્ય. જ્યારે અન્ય એકનું નામ ચેઝર છે. બંનેનું વજન 220 કિલો છે. બંને અવકાશયાન PSLV-C60 રોકેટથી 470 કિમીની ઊંચાઈએ અલગ-અલગ દિશામાં લોન્ચ કરવામાં આવશે.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police