Connect Gujarat
દેશ

ચંદ્રયાન-3 માટે કાઉન્ટડાઉનનો અવાજ આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન

ચંદ્રયાન-3 માટે કાઉન્ટડાઉનનો અવાજ આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન
X

ચંદ્રયાન-3 હોય કે ઈસરોના કોઈપણ સેટેલાઇટ લોન્ચિંગ. જ્યારે આખી દુનિયાની નજર રોકેટ પર હોય છે ત્યારે કાનમાં એક જ અવાજ આવે છે. આ કાઉન્ટડાઉનનો અવાજ હોય છે. શ્રીહરિકોટા ખાતે રોકેટ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન 10,9,8,7 સંભળાય છે. મહિલાનો કાઉન્ટડાઉનનો અવાજ હવે લોકોને સંભળાશે નહીં. આ કાઉન્ટડાઉન અવાજ ચંદ્રયાન-3 લોન્ચિંગ દરમિયાન સંભળાયો હતો. આ અવાજ આપનાર ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મહિલા વૈજ્ઞાનિક વલારમથીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમને છેલ્લે 30 જુલાઈના રોજ PSLV-C56 મિશન માટે કાઉન્ટડાઉન કરતા સાંભળવામાં આવ્યા હતા.

23 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. તેમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હતા. ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આટલું જ નહીં, લેન્ડિંગથી પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહના અજાણ્યા દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર દેશ પ્રથમ બન્યો છે.

વલારમથીના નિધન પર ISROએ કહ્યું કે રોકેટ પ્રક્ષેપણ કાઉન્ટડાઉન પાછળનો પ્રતિષ્ઠિત મહિલા અવાજ શ્રીહરિકોટાના ભવિષ્યના મિશનમાં સંભળાશે નહીં. વલારમથીના નિધનથી અવાજ અનંતકાળ માટે ઝાંખો પડી ગયો છે! શનિવાર સાંજે ચેન્નઈની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી મહિલા વૈજ્ઞાનિક વલારમતીનું અવસાન થયું હતું.

Next Story