જમ્મુકાશ્મીર : શોપિયાં જિલ્લાના ઝૈનાપોરાના મંજ માર્ગ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે થઈ અથડામણ
BY Connect Gujarat Desk20 Dec 2022 3:15 AM GMT
X
Connect Gujarat Desk20 Dec 2022 3:15 AM GMT
જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયાં જિલ્લાના ઝૈનાપોરાના મંજ માર્ગ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 3 આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. આ ઓપરેશન 1RR, 178 CRPF અને બાકીના મળીને કરવામાં આવ્યું છે.
માર્યા ગયેલા 3 સ્થાનિક આતંકવાદીઓમાંથી 2ની ઓળખ થઈ ગઈ છે. એક આતંકીની ઓળખ શોપિયાંના લતીફ લોન તરીકે થઈ છે. તે કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે. તે અનંતનાગનો હતો અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો. આ સિવાય જવાનોને 1 એકે 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે. આ જાણકારી ADGP કાશ્મીર દ્વારા આપવામાં આવી છે.
Next Story