કેરળ: BJP કાર્યકર્તાના મર્ડર કેસમાં 15 આરોપીઓને સજા-એ-મોત ઘરમાં ઘુસીને કરી હતી હત્યા

19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી.

New Update
કેરળ: BJP કાર્યકર્તાના મર્ડર કેસમાં 15 આરોપીઓને સજા-એ-મોત ઘરમાં ઘુસીને કરી હતી હત્યા

કેરળની એક કોર્ટે પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 15 કાર્યકરોને ભાજપના નેતાની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. 19 ડિસેમ્બર 2021ના રોજ ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી.

ગયા અઠવાડિયે કોર્ટે 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિઝામ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ સલામ ઉર્ફે સલામ પોનાદ, અબ્દુલ કલામ, સફરુદ્દીન અને મંશાદ તરીકે ઓળખાયેલા આઠ દોષિતો રણજીત શ્રીનિવાસની હત્યામાં સીધા સામેલ હતા.

અન્ય ગુનેગારોની ઓળખ જસીબ રાજા, નવાસ, શમીર, નસીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાથુંગલ અને શમનસ અશરફ તરીકે કરવામાં આવી છે. કોર્ટે તેમાંથી ચારને દોષિત ઠેરવ્યા હતા કારણ કે તેઓ હથિયારો સાથે ગુનાના સ્થળે આવ્યા હતા, જેથી શ્રીનિવાસ છટકી ન શકે અને કોઈ તેની મદદ ન કરી શકે. બાકીના ત્રણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો. પીડિતાના વકીલે કહ્યું કે સજા પામેલા તમામ આરોપીઓ ટ્રેન્ડ કિલર સ્ક્વોડનો ભાગ છે. પીડિતાને તેની માતા, પત્ની અને બાળકની સામે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે.

19 ડિસેમ્બર, 2021ના રોજ જ્યારે રણજીત શ્રીનિવાસ અલપ્પુઝા શહેરમાં તેમના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રણજીત તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

#Kerala #crime news #Kerala BJP Workes Murder #Kerala Murder Case #Rape With Murder Case #Ranjit Srinivasan Murder #Ranjit Srinivasan Murder Case
Latest Stories