Connect Gujarat
દેશ

ઝારખંડમાં વીજળી પડવાથી હાહાકાર, એક જ દિવસમાં 16 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર

ઝારખંડમાં વીજળી પડવાથી હાહાકાર, એક જ દિવસમાં 16 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર

ઝારખંડમાં વીજળી પડવાથી હાહાકાર, એક જ દિવસમાં 16 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
X

ઝારખંડના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાથી એક જ દિવસમાં 16 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ઝારખંડમાં ચોમાસાના આગમનની સાથે જ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદ દરમિયાન વીજળી પડવાથી રાજ્યભરમાં 1 દિવસમાં 16 લોકોના મોત થયા છે. ચોમાસાના આગમનના પ્રથમ દિવસે ઝારખંડના વિવિધ જિલ્લાઓમાં આસમાની આફત જોવા મળી હતી. જો કે હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ માટે વધુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 2થી 3 દિવસ સુધી ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય લોકોને ઊંચા વૃક્ષો અને વીજ થાંભલાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઝારખંડના લોહરદગા જિલ્લામાં ખેતરોમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી સગીર બાળકી સહિત 3 લોકોના મોત થયા છે.

બીજી તરફ ઝારખંડના ગિરિડીહ અને બોકારો જિલ્લામાં વીજળી પડવાથી બે-બે લોકોના મોત થયા છે. આ સાથે ચતરા જિલ્લો, પલામુ જિલ્લો, રામગઢ જિલ્લો, ગુમલા જિલ્લો અને કોડરમા જિલ્લામાં એક-એક ગ્રામીણનું ઠંડીને કારણે મોત થયું છે.

Next Story