છત્તીસગઢમાં મોટી અથડામણ: 12 નક્સલીઓ ઠાર, 3 જવાન શહીદ થયા

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ, જેમાં 12 નક્સલીઓ મોતને ભેટ્યા જ્યારે ડીઆરજીના ત્રણ બહાદુર જવાનો શહીદ થયા.

New Update
Major encounter in Chhattisgarh

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ, જેમાં 12 નક્સલીઓ મોતને ભેટ્યા જ્યારે ડીઆરજીના ત્રણ બહાદુર જવાનો શહીદ થયા. આ અથડામણ બીજાપુર–દંતેવાડા સરહદે આવેલા ઘોર જંગલવાળા પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં થઈ, જ્યાં સવારે 9 વાગ્યે દળો પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. જિલ્લા રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને CRPFની કોબ્રા બટાલિયન સંયુક્ત ઓપરેશનમાં સામેલ હતી. ઓપરેશન દરમિયાન સમયાંતરે ભારે ગોળીબાર ચાલતો રહ્યો અને સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી જારી રાખી.

પોલીસ અધિક્ષકોના જણાવ્યા મુજબ, સ્થળ પરથી 12 નક્સલીઓના મૃતદેહ સાથે SLR, 303 રાઈફલ અને દારૂગોળો સહિત મોટો જથ્થો જપ્ત થયો છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન શહીદ થયેલા ડીઆરજી જવાનો — હેડ કોન્સ્ટેબલ મોનુ વદારી, કોન્સ્ટેબલ દુકારુ ગોંડે અને કોન્સ્ટેબલ રમેશ સોડી —ને સમગ્ર બસ્તરે શોક સાથે યાદ કર્યા. બે અન્ય જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. વિસ્તારમાં વધુ દળો મોકલી ઓપરેશન વિસ્તારનું કોર્ડન મજબૂત કરવામાં આવ્યું છે.

રાજ્ય પોલીસના આંકડાઓ મુજબ, આ વર્ષમાં છત્તીસગઢમાં અત્યાર સુધી 275 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, જેમાં માત્ર બસ્તર વિસ્તારમાં જ 246 નક્સલીઓને નષ્ટ કરવામાં આવ્યા છે. આ આંકડાઓ બતાવે છે કે નક્સલવાદને કમજોર બનાવવા સુરક્ષા દળો સતત અને પરિણામકારક કાર્યવાહી કરી રહ્યા છે.

Latest Stories