Connect Gujarat
ધર્મ દર્શન 

અયોધ્યામાં 48 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના કર્યા દર્શન

અયોધ્યામાં 48 દિવસમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલ્લાના કર્યા દર્શન
X

અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી 10 માર્ચ સુધી અહીં 1 કરોડ લોકો પહોંચ્યા છે. એટલે લગભગ 2 લાખ લોકો અહીં રોજ દર્શન કરી રહ્યા છે.

દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો કોઈપણ ધર્મના ધર્મસ્થળ પર પહોંચી રહ્યા નથી. ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં વાર્ષિક લગભગ 90 લાખ લોકો આવે છે. જ્યારે મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ગયા વર્ષે 1.35 કરોડ લોકો પહોંચ્યા.અયોધ્યામાં મંદિર નિર્માણ સાથે અહીં જમીનની કિંમત 10 ગણી વધી ગઈ છે. લગભગ 700 લોકોએ પોતાના ઘરને હોમ સ્ટેમાં બદલી દીધા છે. છેલ્લાં 2 વર્ષમાં લગભગ 100 હોટલ બનીને તૈયાર છે. 50 થી વધારે હોટલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ આંકલન કર્યું હતું કે મંદિર નિર્માણથી અહીં વેપારનો આંકડો 1 લાખ કરોડ રૂપિયા પહોંચી શકે છે. પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 50 હજાર કરોડનું અનુમાન હતું.

Next Story