બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા.....

પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે

New Update
બદ્રિનાથના દર્શને પહોચ્યા મુકેશ અંબાણી, કડક સુરક્ષા વચ્ચે ભગવાન બદરી વિશાલની કરી વિશેષ પૂજા.....

પાંચધામની યાત્રાનું હિન્દુમાં ખૂબ જ મહત્વ રહેલું છે. કેદારનાથ, બદ્રિનાથ સહિતના ધર્મ સ્થાનો પણ અનેક સેલિબ્રિટિ આવતા હોય છે અને માથું ટેકાવે છે, ત્યારે આજે મુકેશ અંબાણી બદ્રીનાથ ધામ પહોચ્યા હતા, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મુકેશ અંબાની સહિત તેની પુરવધૂ રાધિકા પણ જોવા મળી હતી. ભગવાન બદરી વિશાલના દર્શન કરી ધન્યતા અનુભવિ હતી. આ સિવાય મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી. આ પ્રસંગે તેમણે બદ્રીનાથ- કેદારનાથ મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે આ રકમ ચેક દ્વારા મંદિર સમિતિના ચેરમેન અજેન્દ્ર અજયને આપી હતી. આ પ્રસંગે મંદિર સમિતિના ઉપપ્રમુખ કિશોર પંવાર પણ હજાર રહ્યા હતા. હાલમાં બદરીનાથ કેદારનાથ ધામમાં VIP લોકોની અવરજવર રહે છે. હમણાં થોડા દિવસો પહેલા જ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના બદ્રિનાથ ધામ પહોચ્યા હતા. જ્યાં તેમણે બદ્રી વિશાલના દર્શન ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

છત્તીસગઢમાં વરસાદમાં પણ નક્સલ વિરોધી કાર્યવાહી પૂરી તાકાતથી ચલાવવામાં આવશે,અમિત શાહનું અલ્ટીમેટમ

31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે:અમિત શાહ

New Update
AMIT SHAH

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે છત્તીસગઢમાં મોટી જાહેરાત કરી અને નક્સલવાદ સામે નિર્ણાયક લડાઈ ની જાહેરાત કરી, તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય 31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે.

અમિત શાહે કહ્યું, આ વખતે નક્સલીઓને વરસાદમાં પણ આરામ મળશે નહીં. નક્સલીઓ સામેનું ઓપરેશન ચાલુ રહેશે. આ ઓપરેશન કોઈપણ હવામાન પર નિર્ભર રહેશે નહીં. આપણા સુરક્ષા દળો સંપૂર્ણ તાકાતથી કામ કરી રહ્યા છે અને આ લડાઈ નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે.

પહેલા નક્સલીઓ ચોમાસા દરમિયાન જંગલો અને દુર્ગમ વિસ્તારોમાં છુપાઈને ભાગી જતા હતા, પરંતુ હવે આવું નહીં થાય. આ વખતે તેમને શાંતિથી સુવા પણ દેવામાં આવશે નહીં. શાહે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ચર્ચાની કોઈ જરૂર નથી, નક્સલીઓએ હથિયારો મૂકીને આત્મસમર્પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ શરણાગતિ સ્વીકારવાની શ્રેષ્ઠ તક છે, જે નક્સલવાદીઓ માટે ચૂકી જવાથી નુકસાન થશે.

ગૃહમંત્રીએ છત્તીસગઢ સરકારની નવી નક્સલવાદી શરણાગતિ નીતિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે એક સકારાત્મક પહેલ છે, જે મુખ્ય પ્રવાહમાં પાછા ફરનારાઓને સારા ભવિષ્ય અને સન્માનજનક જીવનની તક આપશે. તેમણે નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડીને દેશની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી.

પોતાના સંબોધનમાં, શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત" ના વિઝનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ સ્વપ્ન ફક્ત માળખાગત સુવિધાઓ, નવીનતા અને આર્થિક પ્રગતિ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમયસર ન્યાય અને સામાજિક સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે ભારતને નક્સલવાદ જેવી સમસ્યાઓથી મુક્ત કરીને જ વાસ્તવિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત કરવા, રસ્તાઓ અને સંદેશાવ્યવહાર નેટવર્કનો વિસ્તાર કરવા અને સ્થાનિક લોકોને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વ્યાપક કાર્ય કરવામાં આવ્યું છે. આને કારણે, નક્સલવાદીઓનો ટેકો નબળો પડ્યો છે અને ઘણા વિસ્તારો તેમનાથી મુક્ત થયા છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો કેન્દ્ર અને રાજ્ય આ પ્રતિબદ્ધતા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખે તો નિર્ધારિત સમય પહેલાં નક્સલવાદ નો નાશ થઈ શકે છે.

Latest Stories