/connect-gujarat/media/post_banners/4fd0774d4d285968eef5e1a5f8d52548689b63b3e7ecc19bc12d9d82e7e56f9c.webp)
સેફઈમાં મુલાયમ સિંહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. સેફઈમાં પ્રથમ પત્નીના સ્મારક પાસે નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નેતાજીનો પાર્થિવદેહ પંચતત્વમાં વિલિન થયો છે. નેતાજીના અંતિમ દર્શન માટે એક લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હાજર રહ્યા હતા. સેફઈમાં મેળાના મેદાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુલાયમના પુત્ર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંત્રોચ્ચાર સાથે વૈદિક રીતે પાર્થિવદેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. રામ ગોપાલ, શિવપાલ યાદવ, રામગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ મૌર્ય, સુબ્રત રોય સહારાએ મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય બીજેપી સાંસદ વરુણ ગાંધી અને આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીએ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી.