Connect Gujarat
દેશ

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે થયું નિધન

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે થયું નિધન
X

હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં, આપને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવ 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

જણાવી દઈએ કે રાજુ દિલ્હીની એક હોટલમાં રોકાયા હતા અને તેના જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક તબિતય લથડતા ઢળી પડ્યા હતા. ત્યારબાદ રાજુને તરત જ એમ્સમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી હતી. રાજુના નજીકના મિત્રોએ તેને મગજમાં ઈજા થઈ હોવાની માહિતી આપી હતી. હાર્ટ એટેક આવ્યા બાદ પડી ગયા બાદ લાંબા સમય સુધી મગજમાં ઓક્સિજન પહોંચ્યો ન હતો.

રાજુ વિશે તમને જણાવી દઈએ કે તેણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. તેઓ દેશના લોકપ્રિય કોમેડિયન છે. તેણે ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, બિગ બોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શોમાં તેમણે લોકોને હસાવ્યા હતા. આ સિવાય તેણે મૈંને પ્યાર કિયા, તેઝાબ, બાઝીગર જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પણ જોવા મળેલ.

Next Story