Connect Gujarat
દેશ

હવે બાળકના જન્મ સમયે માતા-પિતા બન્નેના ધર્મની વિગત આપવી જરૂરી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે બનાવ્યો ડ્રાફ્ટ

હવે બાળકના જન્મની નોંધણીમાં માતા અને પિતાના ધર્મની વિગત અલગ અલગ નોંધાવવી જરૂરી બનશે.

હવે બાળકના જન્મ સમયે માતા-પિતા બન્નેના ધર્મની વિગત આપવી જરૂરી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે બનાવ્યો ડ્રાફ્ટ
X

હવે બાળકના જન્મની નોંધણીમાં માતા અને પિતાના ધર્મની વિગત અલગ અલગ નોંધાવવી જરૂરી બનશે. અત્યાર સુધી બાળકના જન્મના સમયે પરિવારના ધર્મની વિગત નોંધવામાં આવતી હતી. ગૃહમંત્રાલયે આ અંગે મૉડલ રૂલ્સનો ડ્રાફ્ટ બનાવ્યો છે. ડ્રાફ્ટ રાજ્યોને પણ મોકલવામાં આવ્યો છે.પ્રસ્તાવિત ફોર્મ નંબર-1માં બાળકના પરિવારના ધર્મની સાથે સાથે એક કૉલમ વધુ જોડવામાં આવી છે જેમાં માતા-પિતાના ધર્મનો ઉલ્લેખ હશે. દત્તક લેવાની પ્રક્રિયામાં પણ ફૉર્મ નંબર-1 જરૂરી હશે. ગત વર્ષે પસાર થયેલા જન્મ-મૃત્યુ નોંધણીના કાયદા અનુસાર રાષ્ટ્રીય સ્તર પર જન્મ અને મૃત્યુની નોંધણી થશે. 1 ઑક્ટોબર 2023થી લાગુ થયેલા આ કાયદા અનુસાર જન્મ અને મૃત્યુનું ડિજિટલ રજિસ્ટ્રેશન થશે.સૂત્રો અનુસાર જન્મ રજિસ્ટ્રેશનના નવા ફોર્મ નંબર-1થી મળેલા ડેટાબેઝના આધાર પર NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર), આધારકાર્ડ, મતદારયાદી, રેશનકાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજને પણ અપડેટ કરી શકાશે. જન્મનું આ ડિજિટલ સર્ટિફિકેટ સિંગલ ડૉક્યુમેન્ટના રૂપમાં માન્ય થશે. તે કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે પણ જન્મનો માન્ય દસ્તાવેજ હશે.

Next Story