/connect-gujarat/media/post_banners/38a3d0cea19e64f53deb94f31234bfc3f4ee103caa5bec133f81aeb0c7409a49.webp)
PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવા માટે મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પ્લોટ ભેટમાં આપ્યો છે. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-1માં બનાવવામાં આવેલા ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો.મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સરકારી પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને ભેટ આપ્યો છે, જ્યાં ભવ્ય ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્ર ભવિષ્યમાં સંગીત કલા પ્રવૃતિઓ માટે અનોખું કેન્દ્ર બની રહેશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય સંગીત કલાના જ્ઞાનને એક છત નીચે લાવવાનો છે.નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં 200 લોકોની ક્ષમતા ધરાવતું થિયેટર, 2 બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા માટે 12 થી વધુ બહુહેતુક વર્ગખંડો, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો સમાવેશ થશે. આ ઉપરાંત તેમાં 1 ઓપન થિયેટર, વિકલાંગો માટે એક વિશેષ સંવેદનાત્મક બગીચો, આઉટડોર મ્યુઝિક ગાર્ડન, એક આધુનિક પુસ્તકાલય, સંગીતના ઇતિહાસને દર્શાવતું સંગ્રહાલય શામેલ છે.