/connect-gujarat/media/media_files/2024/12/23/9exVhdnQyX8F3HaqYg0d.jpg)
પીએમ modi live
કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (18 જાન્યુઆરી, 2025) લગભગ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને માહિતી આપશે અને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકો જેમના પાસે તેમની જમીન અને મકાનના માલિકી હક્ક અને સરકારી દસ્તાવેજો નથી તેમને ફાયદો થશે.
યોજનાનો પ્રથમ તબક્કો
પીએમ મોદીએ એપ્રિલ 2020માં શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી.
યોજનાના ફાયદા
આ યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના અધિકાર જ નહીં મળે, પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ સરળ બનશે. તે મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે. આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે. આ યોજનાથી લોકો આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનશે.
સ્વામિત્વ યોજના શું છે?
આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે 'સ્વામિત્વ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જે તેમની ઘરની માલિકીનો કાયદેસર પુરાવો હોય છે. એટલે કે, હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય અને કાયદેસર દસ્તાવેજ હશે.