PM નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા PM મોદીએ

New Update
pm Modi 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરી હતી. બેઠક પહેલા PM મોદીએ પ્રબોઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા હતા.ટ્વિટર પર પોસ્ટ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

જયસ્વાલે તેને "એક્ટ ઈસ્ટ" નીતિના મહત્વના ભાગીદાર સાથે ભારતના સંબંધોમાં આગળનું પગલું ગણાવ્યું.વડાપ્રધાને કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે અમે સંરક્ષણ ઉત્પાદન અને સપ્લાય ચેઈનમાં સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. અમે દરિયાઈ, સાયબર સુરક્ષા, આતંકવાદ અને ઉગ્રવાદ સામે સહયોગ આપવા પર પણ ભાર મૂક્યો છે. આજે, દરિયાઈ સુરક્ષામાં જે સમજૂતી થઈ છે તે ગુનાઓને અટકાવવા અને ક્ષમતા નિર્માણમાં મજબૂતી આવશે. આ અમારા સહયોગને વધુ મજબૂત કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા દ્વિપક્ષીય વેપારને વેગ મળ્યો છે. ગયા વર્ષે આ વેપાર 30 અબજ ડોલરને પાર થઈ ગયો છે.

Read the Next Article

1 જુલાઈથી આ વાહનોને પેટ્રોલ-ડીઝલ કે CNG નહીં મળે, દિલ્હી સરકારની મોટી જાહેરાત

1 જુલાઈથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ અને CNG વાહનોને ઈંધણ મળશે નહીં. પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવશે અને ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવશે.

New Update
cng petrol

1 જુલાઈથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ અને CNG વાહનોને ઈંધણ મળશે નહીં. પેટ્રોલ પંપ પર ANPR કેમેરા લગાવવામાં આવશે અને ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવશે. વાયુ પ્રદૂષણ અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.

દિલ્હી સરકારે 1 જુલાઈથી એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનોને ધ્યાનમાં રાખીને કડક અમલીકરણ નીતિની જાહેરાત કરી છે. આ નવા નિયમને અસરકારક રીતે લાગુ કરવા માટે, સરકારે સત્તાવાર રીતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કર્યા છે. જેમાં ઇંધણ સ્ટેશનો અને અમલીકરણ અધિકારીઓ માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

આ નવા નિયમ અંતર્ગત 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને CNG વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોને એન્ડ-ઓફ-લાઇફ વાહનો તરીકે ઓળખવામાં આવશે એટલે કે આ વાહનોનું આયુષ્ય હવે સમાપ્ત થઈ ગયું માનવામાં આવશે. 

આ વાહનોને દિલ્હીના પંપ પર સ્થાપિત ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવશે. આ અંગે સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દિલ્હીના કોઈપણ પંપ પર આ વાહનોને કોઈપણ અપવાદ વિના ઇંધણ (પેટ્રોલ, ડીઝલ અથવા CNG) આપવાનો ઇનકાર કરવો ફરજિયાત છે. 

આ વાહનોને સરળતાથી ઓળખવા માટે, તમામ પેટ્રોલ પંપ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જે કેમેરાની મદદથી વાહનની નંબર પ્લેટ પર નજર રાખશે. આવા વાહનોની ઓળખ થતાં જ સ્થળ પર હાજર ઇંધણ પંપ એટેન્ડન્ટ વાહન માલિકને ઇંધણ આપવાનો ઇનકાર કરશે. 

આ સાથે જ આ નવા નિયમ અંગે જાણકારી આપવા માટે ઓપરેટરોને પંપ પર આ પ્રતિબંધ વિષે ચેતવણી આપતા તમામ ચિહ્નો મુખ્ય રીતે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પરિવહન વિભાગ અન્ય અમલીકરણ એજન્સીઓ સાથે આ SOPs ના પાલન પર સતર્કતાથી દેખરેખ રાખશે. જો નિયમોનું પાલન નહીં થાય તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીના ભાગરૂપે જો આવા વાહન મળી આવે છે તો તે વાહન જપ્ત પણ થઈ શકે છે. 

આ ઉપરાંત જો પેટ્રોલ પંપ માલિકો આ નિયમોનો અમલા કરવામાં નિષ્ફળ જાય છે અથવા માર્ગદર્શિકાનું પાલન કરવાનો ઇનકાર કરે છે તેમને મોટર વાહન એક્ટ, 1988 હેઠળ દંડ આપવામાં આવશે. 

આ નિયમને અમલમાં લાવીને રાજ્ય સરકાર રસ્તાઓ પરથી જૂના અને વધુ પ્રદૂષિત વાહનોને દૂર કરીને દિલ્હીમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા માંગે છે. આ કડક નિયમો લાગુ કરીને, દિલ્હી સરકાર સ્વચ્છ હવાને પ્રોત્સાહન આપવાની અને આરોગ્ય ધોરણોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહી છે. 

Latest Stories