Connect Gujarat
દેશ

આજે ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનું શિલાન્યાસ કરશે PM નરેન્દ્ર મોદી

આજે ઉત્તર પ્રદેશમાં શ્રી કલ્કિ ધામ મંદિરનું શિલાન્યાસ કરશે PM નરેન્દ્ર મોદી
X

PM નરેન્દ્ર મોદી આજે 19 ફેબ્રુઆરી યુપીના સંભલ જિલ્લામાં આવી રહ્યા છે. તેઓ અહીં શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. PM મોદી સવારે 10.25 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સીધા આંચોડા કંબોહ પહોંચશે. લગભગ એક કલાક સુધી ફંક્શનમાં હાજરી આપ્યા બાદ તેઓ 11.30 વાગ્યે રવાના થશે. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર PM નરેન્દ્ર મોદી સવારે 10:25 વાગ્યે સંભલના આઈચોરા કમ્બોહ ખાતે કલ્કી ધામ પહોંચશે. ત્યારબાદ 10:29 સુધીમાં હેલિપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કલ્કિ ધામના સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 10.30 વાગ્યે પીએમ મોદી પૂર્વ દ્વારથી કલ્કિ ધામના ગર્ભગૃહમાં પ્રવેશ કરશે.

10.31 થી 10.37 PM સુધી કલ્કિ ધામના ગર્ભગૃહમાં રહેશે અને શિલાન્યાસ કરશે. 10:39 વાગ્યે પીએમ મોદી ગર્ભગૃહમાંથી બહાર આવ્યા બાદ કલ્કિ ધામના પ્રસ્તાવિત મોડલનું ઉદ્ઘાટન કરશે. PM મોદી 10:45 વાગ્યે કલ્કિ ધામના મંચ પર પહોંચશે.

10:45 થી 10:50 દરમિયાન કલ્કિ ધામના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવશે. 10:50 થી 11:00 સુધી યોગી આદિત્યનાથ અને કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સ્વાગત પ્રવચન આપશે. સવારે 11 વાગ્યાથી પીએમ મોદી કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમ માટે આવેલી ભીડ અને કલ્કિ ભક્તોને સંબોધિત કરશે

Next Story