રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ, 200માંથી 199 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન

New Update
રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ, 200માંથી 199 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન

રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 200માંથી 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયો છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર છે અને બંને પક્ષના નેતાઓ પોતપોતાના દાવા કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવારો મેદાનમાં છે અને મતદારોની સંખ્યા 5,25,38,105 છે. જેમાં 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જેમાંથી 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે.

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અર્જુન રામ મેઘવાલ પોતાનો મત આપવા બિકાનેર ઈસ્ટના કિસામીડેસરના બૂથ નંબર 174 પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ભાજપ તમામ બેઠકો પર જીતી રહ્યું છે. રાજસ્થાન વિકાસના મુદ્દા પર મતદાન કરવા જઈ રહ્યું છે. મેં દરેકને 100 ટકા મતદાન કરવાની અપીલ કરી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

Read the Next Article

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી દુર્ઘટના, ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત, 7થી વધુ ઘાયલ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે. સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે

New Update
baga

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે.

સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામના રહેવાસી કાટમાળમાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ ઘટના સમયે તેઓ તેમના પરિવાર સાથે ધર્મશાળામાં સૂઈ રહ્યાં હતા ત્યારે અચાનક દિવાલ ભરી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર છતરપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓએ કહ્યું કે દિવાલ કેમ પડી તેની તપાસ ચાલુ છે. સાથે સરકાર તરફથી મૃતકના પરિવારમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.