Connect Gujarat
દેશ

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું, જે લોકો 'સરદાર પટેલ'ને માન નથી આપતા; ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીને સાંભળવા માટે અહીં હજારો લોકો એકઠા થયા હતા.

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું, જે લોકો સરદાર પટેલને માન નથી આપતા; ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીને સાંભળવા માટે અહીં હજારો લોકો એકઠા થયા હતા. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકોએ ગુજરાતના હિતની વિરુદ્ધ કામ કર્યું અને મને 20 વર્ષ સુધી હેરાન કર્યા, તેઓએ કોર્ટમાં જઈને ગુજરાતને બદનામ કર્યું છે. કોંગ્રેસના નેતાઓને પૂછો કે શું તેઓએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લીધી છે, જે લોકો ધરતીના પુત્ર સરદાર પટેલને માન આપતા નથી. ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરી રહી છે, તેથી કેટલાક લોકો સરકારને બદનામ કરે છે. તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે તાપસ કરવી પડતીતી કે અમદાવાદમાં કર્ફ્યુ નથી ચાલી રહ્યુંને.

અહીંના વિકાસને લઈને પીએમ મોદીએ કહ્યું કે ફોર લેન, સિક્સ લેન હાઈવે અને ઝડપી પરિવહન આ બધું જ ગુજરાતની ઓળખ બની ગઈ છે. તેમણે કહ્યું કે મેડિકલમાં અગાઉ માત્ર અંગ્રેજી જાણતા લોકોને જ પ્રવેશ મળતો હતો. હવે અમે ગુજરાતીમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની છૂટ આપી છે. આનાથી ગામના વિદ્યાર્થીઓને તક મળશે.

જનસભામાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 26 એન્જિનિયરિંગ કોલેજો હતી, પરંતુ આજે અમારી પાસે 130 કોલેજો છે. રાજકોટ એજ્યુકેશન હબ બન્યું છે. આજે અન્ય રાજ્યોના બાળકો ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ ઇચ્છે છે. તેમજ પીએમ મોદીએ કહ્યું કે અહીં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે અને સમગ્ર વિશ્વમાંથી લોકો ગુજરાતમાં આવી રહ્યા છે.

રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકારે લોકોની આકાંક્ષાઓને આદેશ તરીકે લીધી છે. આ સાથે તેમણે કહ્યું કે મેં અખબારમાં વાંચ્યું છે કે જામકંડોરણાની મુલાકાત લેનારો હું પહેલો વડાપ્રધાન છું, પરંતુ મારે ઘણીવાર એવા કામ કરવા પડે છે જે પહેલા કોઈએ નહોતું કર્યું.

Next Story