Connect Gujarat
દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમનો કરશે શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમનો કરશે શિલાન્યાસ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાત દરમિયાન ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ માહિતી આપી છે.

PM નરેન્દ્ર મોદીના રોજ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે. અહીં પીએમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. ભાજપે સ્ટેડિયમની ગ્રાફિક તસવીરો શેર કરી છે, જેમાં 30,000 દર્શકો માટે બેસવાની સુવિધા હશે.

આ સ્ટેડિયમનું આર્કિટેક્ચર ભગવાન શિવથી પ્રેરિત છે. જેમાં ભગવાન શિવના ડમરુ અને ત્રિશુલની ઝલક જોવા મળશે. આ સ્ટેડિયમમાં અર્ધચંદ્રાકાર આકારની છત અને ત્રિશૂળ આકારની ફ્લડ-લાઇટ હશે. એવું માનવામાં આવે છે કે આ સ્ટેડિયમ 2025 સુધીમાં બની જશે.

વારાણસીમાં રાજતલબના ગંજરીમાં આ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જેમાં તમામ આધુનિક સુવિધાઓ હશે. આ સ્ટેડિયમ 30.6 એકરમાં બનશે. સ્ટેડિયમના પ્રવેશદ્વારને બેલપત્રની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

પીએમ મોદીની વારાણસી મુલાકાતને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટર પર લખ્યું, " 23 સપ્ટેમ્બરે પીએમ લગભગ 451 કરોડ રૂપિયાના ખર્ચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે." તેમણે માહિતી આપી હતી કે પીએમ કાશી એમપી કલ્ચરલ ફેસ્ટિવલ 2023ના સમાપન અને ઈનામ વિતરણ સમારોહમાં હાજરી આપશે. તેઓ અંદાજે રૂ. 1115 કરોડના ખર્ચે 16 નવનિર્મિત અટલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ઉદ્ઘાટન પણ કરશે.

પીએમની વારાણસી મુલાકાતને લઈને ભાજપના કાર્યકરો ઉત્સાહિત છે. જે સ્ટેડિયમ માટે પીએમ મોદી શિલાન્યાસ કરશે તે કાનપુર અને લખનૌ પછી યુપીનું ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે.

Next Story