રાજકોટ: ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ પાઠવી

રાજકોટ: ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત આત્માને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ પાઠવી
New Update

ભરૃચ જિલ્લા આમઆદમી પાર્ટી દ્વારા રાજકોટ ગેમઝોન ની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓ ને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.ભરૃચ ના રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે રાજકોટના ગેમઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને જિલ્લા આમઆદમી પાર્ટી દ્વારા શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચ જિલ્લા આમઆદમી પાર્ટી પ્રમુખ પિયુષ પટેલ સહિત કાર્યકરો દ્વારા મોબાઈલ ટોર્ચ ચાલુ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી,ગોઝારી દુર્ઘટના જવાબદાર લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

#Gamezone #Bharuch District #Aam Aadmi Party #Rajkot #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article