/connect-gujarat/media/post_banners/c29130d86c58bf3201f4eb31b230088387c798d4b7cddae3e2515204d086d3e5.webp)
રેપ કેસમાં જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવવાનો છે. રામ રહીમને 21 દિવસની પેરોલ મળી છે. રામ રહીમ યુપીના બાગપતના બરનવા આશ્રમમાં 21 દિવસ વિતાવશે. ડેરા ચીફની સાથે તેની દત્તક પુત્રી હરિપ્રીત પણ જાય તેવી શક્યતા છે. પેરોલ મળ્યા બાદ તેમના અનુયાયીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી અને આશ્રમમાં તેમના આગમનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી.
બીજી તરફ રામ રહીમના જેલમાંથી પરોલ પર બહાર આવવાને લઈ તેને હરિયાણામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ડેરા સચ્ચા સૌદા આશ્રમના પ્રવક્તા જિતેન્દ્ર ખુરાનાએ કહ્યું કે તેમને મીડિયા તરફથી એવી પણ માહિતી મળી છે કે 21 દિવસની ફર્લો મંજૂર કરવામાં આવી છે. ઈન્સ્પેક્ટર બિનૌલી એમપી સિંહે જણાવ્યું કે રોહતક જેલના સુપ્રિટેન્ડેન્ટે આ સંબંધમાં અનેક મુદ્દાઓ પર રિપોર્ટ માંગ્યો હતો, જે મોકલવામાં આવ્યો હતો.