/connect-gujarat/media/media_files/2025/02/25/oggKlZpbhDL0knPyT0fG.jpg)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ મુક્યો હતો અને ગ્રાહકોના એક પણ રૂપિયો ઉપાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પછી ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. હવે RBI એ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી છે અને નિયંત્રણો હળવા કર્યા છે અને જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની મંજૂરી આપી છે. ગ્રાહકો 27 ફેબ્રુઆરીથી તેમના ખાતામાંથી આ રૂપિયા ઉપાડી શકશે. નોંધનીય છે કે 122 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રિઝર્વ બેન્કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક સામે કડક કાર્યવાહી કરી હતી.
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં RBI દ્વારા આપવામાં આવેલી આ છૂટછાટને કારણે બેન્કના અડધાથી વધુ ગ્રાહકોને રાહત મળશે અને રિપોર્ટ અનુસાર, ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના 50 ટકાથી વધુ ગ્રાહકો તેમની લગભગ 100 ટકા થાપણો ઉપાડી શકશે. પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારથી તેની શાખાઓની બહાર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી, જેમના માટે સોમવારે એક મોટી રાહતના સમાચાર આવ્યા હતા.