New Update
/connect-gujarat/media/post_banners/475733e53d65c145f991d8a73c05d3dcaec1fab47b646d8822fa3da68ea6b24e.webp)
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોના વાયરસના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ -19 ના 180 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,804 થઈ ગઈ છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીના અપડેટ કરાયેલા ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે.