Connect Gujarat
દેશ

કોરોનાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનથી આવનાર દરેક વ્યક્તિનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવા કર્યો આદેશ

ઓમિક્રોનના સબવેરિયન્ટ BF.7ને કારણે ચીનમાં કોરોનાના કેસમાં થયો વધારો

કોરોનાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનથી આવનાર દરેક વ્યક્તિનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવા કર્યો આદેશ
X

ચીનમાં કોરોના વાયરસના કેસમાં ભયંકર રીતે વધારો થવા લાવ્યો છે. ઓમિક્રોનના સબવેરિયન્ટ BF.7ને કારણે ચીનમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સાથે જ તેની અસર હવે ભારતમાં પણ વર્તાવવા લાગી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. હવે ચીનથી આવનાર દરેક વ્યક્તિનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનથી આવનારા લોકોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેને લગતી માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે અને તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એરપોર્ટ પર આજથી એટલે કે બુધવારથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આજથી જ દેશના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ પણ શરૂ થઈ ગયું છે.

ચીનમાં કોરોનાના કેસો વધારવા માટે જવાબદાર ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ત્રણ કેસ ભારતમાં પણ મળી આવ્યા છે. જેમાં 2 કેસ ગુજરાતમાંથી અને ઓડિશામાંથી એક કેસ મળી આવ્યો છે. આ જ કારણે ભારત સરકાર સમય રહેતા જ કોરોનાને લઈને સંપૂર્ણ રીતે સતર્ક બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ આજે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેથી સાવધાની રાખવાની જરૂર છે.

Next Story