યુપીના હાથરસથી 47 કિમી દૂર આવેલા ફૂલરાઈ ગામમાં નારાયણ સાકાર હરિના સત્સંગ દરમિયાન નાસભાગમાં મચતા 122 જેટલા લોકોના મોત થાય છે નારાયણ સાકાર હરિ ભોલે બાબા તરીકે ઓળખાય છે. મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો છે. 150 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. ઇજાગ્રસ્તો અને મૃતદેહોને ટેમ્પો અને બસોમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર હજુ પણ મૃતદેહો વિખરાયેલા પડ્યા છે..