ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે !

ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં એને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા બોર્ડના અધ્યક્ષ

New Update
mdrasa

ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં એને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.મદરેસા બોર્ડના અધ્યક્ષ મુફ્તી શમુને ગુરુવારે કહ્યું હતું કે અમે લાંબા સમયથી આ યોજના પર કામ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારની પરવાનગી મળતાં જ એનો અમલ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મદરેસામાં જતાં બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માગે છે, એને ધ્યાનમાં રાખીને અમે આ યોજના બનાવી છે.બોર્ડના પ્રમુખ મુફ્તી શમુને જણાવ્યું હતું કે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમના અમલના આ વર્ષે ખૂબ સારાં પરિણામો આવ્યાં છે. 96%થી વધુ બાળકો પાસ થયાં. આ દર્શાવે છે કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી. જો તક આપવામાં આવે તો તેઓ સંસ્કૃતિ સહિત તમામ વિષયોમાં સારું પ્રદર્શન કરી શકે છે.

Latest Stories