સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, "કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણો (Hate Speech)ને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે." જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ.
કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, 'આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.' કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. અરજદારે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. અરજદાર હરપ્રીત મનસુખાનીએ કહ્યું કે, અભદ્ર નિવેદનો કમાનમાંથી નીકળતા તીર જેવા હોય છે, જેને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી. ખંડપીઠે કેટલાક તાત્કાલિક ઉદાહરણની માંગ કરતા કહ્યું કે, આ કિસ્સામાં જ્યાં સુધી કોઈ ઘટનાની વિગતો આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન લઈ શકે નહીં. કારણ કે કેસની સંજ્ઞાન લેવા માટે હકીકતલક્ષી આધાર હોવો જરૂરી છે. ખંડપીઠે અરજદાર હરપ્રીત મનસુખાનીને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો.
હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું 'નફરતભર્યા ભાષણોથી દેશનો માહોલ બગડે છે, તેને રોકવાની જરૂર'
સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, "કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણો (Hate Speech)ને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે." જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ.
કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, 'આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.' કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. અરજદારે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે. અરજદાર હરપ્રીત મનસુખાનીએ કહ્યું કે, અભદ્ર નિવેદનો કમાનમાંથી નીકળતા તીર જેવા હોય છે, જેને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી. ખંડપીઠે કેટલાક તાત્કાલિક ઉદાહરણની માંગ કરતા કહ્યું કે, આ કિસ્સામાં જ્યાં સુધી કોઈ ઘટનાની વિગતો આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન લઈ શકે નહીં. કારણ કે કેસની સંજ્ઞાન લેવા માટે હકીકતલક્ષી આધાર હોવો જરૂરી છે. ખંડપીઠે અરજદાર હરપ્રીત મનસુખાનીને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો.
મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો દેશ | સમાચાર
સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા અનામત, બિહારમાં ચૂંટણી પહેલા NDA સરકારનો નિર્ણય
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે. દેશ | સમાચાર
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી દુર્ઘટના, ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત, 7થી વધુ ઘાયલ
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે. રાત્રે લગભગ Featured | દેશ | સમાચાર
DRDO દ્વારા આયોજિત કોન્ફરન્સમાં રાજનાથ સિંહે કહ્યું- "દુનિયા આપણા સંરક્ષણ ક્ષેત્ર તરફ જોઈ રહી છે"
DRDO દ્વારા આયોજિત કંટ્રોલર્સ કોન્ફરન્સમાં રાજનાથ સિંહે કહ્યું, "જો તમે આપણા સંરક્ષણ બજેટને જુઓ, તો તે વિશ્વના કેટલાક દેશોના GDP કરતા પણ મોટું છે. સમાચાર |
હોંગકોંગના માલવાહક જહાજમાં બ્લાસ્ટથી લાગી આગ,સદનસીબે જાનહાની ટળી
જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું 21 જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા દેશ | સમાચાર |
ભારતે આવક સમાનતામાં જબરદસ્ત રેન્કિંગ હાંસલ કર્યું છે, અમેરિકા અને ચીનને પણ પાછળ છોડી દીધું છે, તેનો અર્થ જાણો
ભારત સમાનતાના સંદર્ભમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને ચીન જેવા દેશોથી ઘણું આગળ છે. ભારતમાં અત્યંત ગરીબીમાં તીવ્ર ઘટાડો થયો છે. સમાચાર |
સુરેન્દ્રનગર : 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી,પદ્મશ્રી કલાકારે વર્ણવી વિશેષતા
iPhone 17 Air ની પહેલી ઝલક, જુઓ ડિઝાઇનથી શું ખાસ હશે
લોર્ડ્સ ટેસ્ટમાં વાપસી માટે તૈયાર જસપ્રીત બુમરાહ, નેટમાં કરી પ્રેક્ટિસ
વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!
શેરબજાર : શરૂઆતના કારોબારમાં બજારમાં ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન