/connect-gujarat/media/post_banners/cb037a1928e1bcb08b7ac5fea5b1549c066983b552af0ae5a7a49722dc687e44.webp)
તામિલનાડુના કુડ્ડલોરના મેલપટ્ટમપક્કમમાં સોમવારે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 70 લોકો ઘાયલ થયા છે.
પોલીસે ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ સ્થાનિક લોકોએ ઘાયલોની મદદ કરી. તેમણે પોલીસને જાણ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ બસનું ટાયર ફાટવું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટાયર ફાટ્યા બાદ ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે સામેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી.