તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બિમારી ગણાવતી તેમની ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કર્યો છે. તેમણે ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં કહ્યું કે મેં સનાતન વિશે એ જ કહ્યું જે પેરિયાર, અન્નાદુરાઈ અને કરુણાનિધિએ પણ કહ્યું હતું.ઉધયનિધિએ કહ્યું કે મારા નિવેદનોને તોડી-મરોડીને રજુ કરવામાં આવ્યું છે.
તમિલનાડુ સહિત દેશભરમાં અનેક કોર્ટ કેસ થયા હતા. મને માફી માંગવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ હું કલૈગનાર (કલા વિદ્વાન)નો પૌત્ર છું. હું માફી માંગીશ નહીં.મારી ટિપ્પણીઓનો હેતુ મહિલાઓ પ્રત્યેના કથિત દમનકારી પ્રથાઓને જણાવવાનો હતો. હિન્દુ ધર્મમાં મહિલાઓને ભણવાની છૂટ નહોતી. તેઓ ઘરની બહાર જઈ શકતી નહોતી અને જો તેમને પતિ મૃત્યુ પામે તો તેમને પણ મરવું પડતું હતું. પેરિયારે આ બધા સામે અવાજ ઉઠાવ્યો હતો
તમિલનાડુના ડે.સી.એમ.ઉધયનિધિ સ્ટાલિને સનાતનને બીમારી ગણાવતી ટિપ્પણી પર માફી માંગવાનો કર્યો ઇન્કાર
તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બિમારી ગણાવતી તેમની ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કર્યો છે.ચેન્નાઈ