જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં અને શોપિયામાં આતંકવાદીઓ કર્યો હુમલો

New Update
જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં અને શોપિયામાં આતંકવાદીઓ કર્યો હુમલો

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગમાં અને શોપિયામાં બે અલગ અલગ ફાયરિંગની ઘટનાઓ બનવા પામી હતી. જેમાં શોપિયાંનાં હીરપોરા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ભાજપનાં નેતા અને પૂર્વ સરવંચ એજાજ અહમદ પર ફાયરીંગ કર્યું હતું. હાલ તેઓની હાલત ખૂબ જ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તેમજ જાણવા મળી રહ્યું છે કે તેઓનું સારવાર દરમ્યાન મૃત્યું પણ નિપજ્યું છે. ત્યાં જ અનંતનાગનાં પહલગામ વિસ્તારમાં રાજસ્થાનનાં એક દંપતીને પણ ગોળી મારવામાં આવી છે.

જાણવા મળી રહ્યું છે કે આતંકીઓએ પહેલા પહલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. જ્યાં જયપુરનું એક દંપતી ફરહા અને તબરેજને ગોળી વાગી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બંને પતિ-પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી છે.

Latest Stories