New Update
/connect-gujarat/media/media_files/2025/03/17/R5WZuc2o5zUt0hCjDqPZ.jpg)
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલ ઠાકુરદ્વારા મંદિર પર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનો દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાની ભાજપે સખત નિંદા કરી છે અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ કેસની તપાસની માંગ કરી છે.
ભાજપે એમ પણ કહ્યું કે આ રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની ચેતવણી છે. રાજ્યના લોકોને સુરક્ષા પૂરી પાડવાને બદલે, AAP સરકાર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. અમે સીબીઆઈને સમગ્ર મામલાની તપાસ કરવા વિનંતી કરીશું.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે હોળીના પવિત્ર તહેવાર પર મંદિર પર થયેલો ગ્રેનેડ હુમલો નિંદનીય છે. હુમલો કરવાનું કાવતરું કાયરતાપૂર્ણ છે. આ ઘટનાને ચેતવણી તરીકે જોવી જોઈએ. પંજાબની આખી ફોર્સ કેજરીવાલની સુરક્ષામાં લાગેલી છે. બીજી તરફ, મંદિર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે.આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પંજાબનું વાતાવરણ ડહોંળવાના પ્રયાસો થઈ રહ્યા છે.
Latest Stories