મણિપુરમાં વાતાવરણ ફરી તંગ બન્યું, સશસ્ત્ર સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે થયો ગોળીબાર

New Update
મણિપુરમાં વાતાવરણ ફરી તંગ બન્યું, સશસ્ત્ર સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે થયો ગોળીબાર

લોકસભા ચૂંટણી 2024 પહેલા ઉત્તર પૂર્વ મણિપુરમાં વાતાવરણ ફરી તંગ બની ગયું છે. કારણ કે સશસ્ત્ર સુરક્ષા દળો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો છે. મણિપુરના થોબલ જિલ્લાના હિરોક ગામ નજીક શુક્રવારે (12 એપ્રિલ, 2024) સશસ્ત્ર ગ્રામીણ સ્વયંસેવકો અને અજાણ્યા બંદૂકધારીઓ વચ્ચે ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી.

મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે વહેલી સવારે હિરોક ગામ તરફ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેના પગલે ગામમાં સુરક્ષા માટે તૈનાત સશસ્ત્ર સ્વયંસેવકોએ જવાબી કાર્યવાહી કરી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આ ગોળીબાર લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો અને ત્યારબાદ છૂટાછવાયા ગોળીબાર કરવામાં આવ્યા હતા. ફાયરિંગને કારણે નિંગથૌજમ જેમ્સ સિંઘ નામનો એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને બાદમાં ઇમ્ફાલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Latest Stories