પાર્લિયામેન્ટ પરિસરમાં થયેલી ધક્કામુક્કીની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાર્લિયામેન્ટ પરિસરમાં થયેલી ધક્કામુક્કીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી એકબીજા પર આરોપ લગાવી રહી છે.

New Update
રાહુલ

રાહુલ

સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાર્લિયામેન્ટ પરિસરમાં થયેલી ધક્કામુક્કીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી એકબીજા પર આરોપ લગાવી રહી છે. ધક્કામુક્કીમાં ભાજપના બે સાંસદો ઘાયલ થઈ જતાં દિલ્હી પોલીસમાં ફરિયાદના આધાર પર રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે. તો વળી કોંગ્રેસે ભાજપના સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરી છે. હવે દિલ્હી પોલીસે ફરિયાદને ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.

દિલ્હી પોલીસે શુક્રવારે જણાવ્યું કે, સંસદમાં થયેલી હાથાપાઈની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ વિવાદને લઈને ભાજપ અને કોંગ્રેસ, બંનેની ફરિયાદની તપાસ કરશે. સાથે જ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.

ગુરુવારે આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સંસદમાં ધરણા કરી રહી હતી. ઠીક એ જ સમયે ભાજપ પણ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરી રહી હતી. આ દરમ્યાન ગુરુવાર સવારે 10.40 કલાકે કોંગ્રેસ પ્રોટેસ્ટ કરતા સંસદના મકર દ્વારા સુધી આવી ગઈ હતી. તે સમયે મકર દ્વાર પર ભાજપના નેતાઓ ઊભા હતા.