રેલ્વેમાં દૂર્ઘટનાનો સિલસિલો યથાવત, નવી દિલ્હીમાં એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ

New Update
રેલ્વેમાં દૂર્ઘટનાનો સિલસિલો યથાવત, નવી દિલ્હીમાં એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ

ભારતીય રેલ્વેમાં દૂર્ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવી દિલ્હીમાં 02570 નંબરની એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઈટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન પાસે થઈ હોવાની વિગતો સામે આવી છે. પાપ્ત જાણકારી મુજબ આ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ડબ્બો પૂર બળીને ખાખ થઈ ગયો હતો. અત્રે જણાવીએ કે, આ ટ્રેનમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હતા. જે દરમિયાન ટ્રેનમાં આગ લાગી ત્યારે લોકોએ કૂદીને તેમનું જીવ બચાવ્યો હતો.

આ ટ્રેન દૂર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાસ્થળની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે જોઈ દૂર્ઘટાની ભયાનક્તા વિચારી શકાય છે. આ દૂર્ઘટના ખૂબ જ ખતરનાક અને જીવલેવા હતી. સીપીઆરઓ અનુસાર સ્ટેશન માસ્ટરે સ્લીપર કોચમાં ધુમાડો જોયો હતો જ્યારે ટ્રેન ઈટાવા પહેલા સરાઈ ભૂપત સ્ટેશનથી પસાર થઈ રહી હતી. સ્ટેશન માસ્ટરે વોકી ટોકી દ્વારા ટ્રેનના ડ્રાઈવર અને ગાર્ડને જાણ કરી અને ટ્રેન રોકાવી અને પાવર બંધ કરી દીધો હતો ત્યારબાદ મુસાફરોને સ્લીપર કોચમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તેમજ કોઈ જાન હાનીની માહિતી સામે આવી નથી.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police