ચેન્નાઈથી મલેશિયા જઈ રહેલા પ્લેનનું રનવે પર ફાટ્યું ટાયર..!
ચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
BY Connect Gujarat Desk18 Jan 2024 5:55 AM GMT
X
Connect Gujarat Desk18 Jan 2024 5:55 AM GMT
ચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. આજે જ્યારે ફ્લાઈટ રનવે પરથી ઉડવાની હતી ત્યારે ફ્લાઈટનું ટાયર ફાટ્યું હતું.
જોકે ટાયર ફાટ્યા બાદ કોઈ અકસ્માત થયો ન હતો, પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત હતા અને તેઓને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતાં એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પ્લેન જ્યારે મલેશિયાની રાજધાની જઈ રહ્યું હતું ત્યારે તેનું પાછળનું ટાયર ફાટી ગયું હતું.
Next Story