છત્તીસગઢમાં નક્સલી હુમલામાં બે જવાન શહીદ

આ આઈઈડી બ્લાસ્ટ માં સુરક્ષા દળના બે જવાન શહીદ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ચાર જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

New Update
nakshali

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા એક મોટો આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

આ આઈઈડી બ્લાસ્ટમાં સુરક્ષા દળના બે જવાન શહીદ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ચાર જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘાયલ જવાનોને એરલિફ્ટ દ્વારા રાયપુર સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલમાં કર્યો હતો.સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો.

છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળનું અભિયાન સતત ચાલું છે. આ અભિયાન હેઠળ એક દિવસ પહેલા બુધવારે સુરક્ષા દળે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સીમાવર્તી વિસ્તારમાં અથડામણમાં 12 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં બે જવાન સતીશ પાટીલ, શંકર પોટાવી ઘાયલ થયા હતા.

Latest Stories