મણિપુરમાં હિંસા યથાવત, રાજ્યના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની થઇ અથડામણ, એક જવાન શહીદ

New Update
મણિપુરમાં હિંસા યથાવત, રાજ્યના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની થઇ અથડામણ, એક જવાન શહીદ

મણિપુરમાં હિંસા યથાવત છે.આ દરમિયાન, રાજ્યના તેંગનોઉપલ જિલ્લાના મોરેહમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં વધુ એક જવાન શહીદ થયો છે. આ અગાઉ, એક સૈનિકના શહિદ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે શહીદ સુરક્ષાકર્મીઓની ઓળખ તખેલંબમ શૈલેશ્વર તરીકે થઈ છે. મણિપુર પોલીસે જણાવ્યું કે અગાઉ શહીદ થયેલા મૃતકની ઓળખ વાંગખેમ સોમરજીત તરીકે થઈ હતી, જે મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો તરીકે તૈનાત હતા.

સોમરજીત ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના માલોમનો રહેવાસી હતો. હકીકતમાં, બુધવારે મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના એક વાહન પર હુમલો કર્યો હતો. ગોળીબારમાં (એન્કાઉન્ટર) ભારતીય રિઝર્વ બટાલિયન (IRB)ના બે જવાન ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ મુખ્યમંત્રી સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Read the Next Article

હરિદ્વારના માનસા દેવી મંદિરમાં કઈ અફવાને કારણે ભાગદોડ મચી?

હરિદ્વારના માનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી છે. ડીએમએ પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે એ પણ જણાવ્યું કે કઈ અફવા ફેલાઈ, જેના પછી લોકો બેકાબૂ થઈ ગયા અને ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ.

New Update
04

હરિદ્વારના માનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી છે. ડીએમએ પોતે આ અંગે માહિતી આપી છે. તેમણે એ પણ જણાવ્યું કે કઈ અફવા ફેલાઈ, જેના પછી લોકો બેકાબૂ થઈ ગયા અને ભીડમાં અરાજકતા ફેલાઈ ગઈ.

હરિદ્વારના માનસા દેવી મંદિરમાં ભાગદોડમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 25 થી 30 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ભાગદોડનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો એક જગ્યાએ ફસાયેલા છે અને ચીસો અને બૂમો પડી રહી છે.

મોટી ભીડને કારણે ઘણા લોકો શ્વાસ રૂંધાઈ રહ્યા હતા. આ ભીડમાં ઘણા માસૂમ બાળકો પણ ફસાયેલા જોવા મળ્યા. ચારે બાજુ લોકોનો અવાજ સંભળાઈ રહ્યો છે અને બહાર નીકળવાની કોઈ જગ્યા નથી.

આ અફવાને કારણે ભાગદોડ મચી
હરિદ્વારના જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દિક્ષિતે જણાવ્યું હતું કે, "પ્રાથમિક રીતે એવું બહાર આવ્યું છે કે કોઈએ વાયરમાં કરંટ હોવાની અફવા ફેલાવી હતી. અમે કેટલાક ફોટોગ્રાફ્સ જોયા છે જેમાં વાયર તૂટેલા જોવા મળે છે.
એવું લાગે છે કે લોકોએ વાયર ખેંચીને દિવાલ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો અને તેથી જ ભાગદોડ મચી હતી. અમારા ડોક્ટરોએ જણાવ્યું હતું કે મૃત્યુ વીજળીના કરંટને કારણે નહીં પણ ભાગદોડને કારણે થયા છે. આ અંગે વધુ તપાસ પણ કરવામાં આવશે."
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "આજે સવારે 9 વાગ્યે એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, હરિદ્વારના મનસા દેવી મંદિરની સીડી પાસે અફવાઓને કારણે ભાગદોડ મચી ગઈ હતી."
Mansa Devi temple | stampede | Haridwar | Uttarakhand