જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 415 ઉમેદવારો મેદાનમાં

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી 7 જિલ્લાની 40

New Update
jammu01

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી 7 જિલ્લાની 40 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જેમાં 39.18 લાખ મતદારોનો સમાવેશ થશે.ત્રીજા તબક્કાની 40 બેઠકોમાંથી 24 જમ્મુ વિભાગની અને 16 કાશ્મીર ખીણની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર છેલ્લા તબક્કામાં 415 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 387 પુરુષ અને 28 મહિલા ઉમેદવારો છે.ત્રીજા તબક્કામાં 169 ઉમેદવારો કરોડપતિ છે અને 67 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.

જમ્મુના નગરોટાથી ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર સિંહ રાણા પાસે સૌથી વધુ 126 કરોડ રૂપિયાની સંપત્તિ છે.આ તબક્કામાં સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુના મોટા ભાઈ એજાઝ અહેમદ ગુરુ પણ ચૂંટણી મેદાનમાં છે. એજાઝ ગુરુ સોપોર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે.એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખ ઉત્તર કાશ્મીરની લંગેટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર હુસૈન બેગ બારામુલાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

Read the Next Article

રેલવેએ કર્મચારીઓને આપી મોટી ગીફ્ટ, નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો લીધો નિર્ણય

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત

New Update
Indian-Railways

રેલવેએ  તેના નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે Non Gazetted  નિવૃત્ત કર્મચારીઓને કરાર પર ફરીથી રોજગારી આપવામાં આવશે.

રેલવેમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને સરળ, કાર્યક્ષમ બનાવવા તેમજ અનુભવી કર્મચારીઓની સેવાઓમાં સુધારો કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેએ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવા માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે, નિવૃત્ત કર્મચારીઓને પગાર લેવલ 1 થી પગાર લેવલ 9 સુધી ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારી આપી શકાય છે, જો કે તેઓ સમાન શ્રેણી/વર્ગના હોય અને ખાલી જગ્યા કરતા માત્ર ત્રણ સ્તર ઉપરના પદ પરથી નિવૃત્ત થયા હોય.

નવા નિયમ મુજબ, સમાન પગાર લેવલથી નિવૃત્ત થયેલા અને યોગ્ય જણાતા કર્મચારીઓને ઉચ્ચ લેવલના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હવે ડીઆરએમને નિવૃત્ત કર્મચારીઓને ફરીથી રોજગારી આપવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યાલય સ્તરે ખાલી જગ્યાઓ ભરવા માટે ફરીથી રોજગારીની સત્તા જનરલ મેનેજર પાસે રહેશે. જોકે, ફરીથી ભરતી માટે કુલ સંખ્યા નક્કી કરવાની સત્તા હજુ પણ જનરલ મેનેજર પાસે રહેશે.

Latest Stories