Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી PM મોદીને મળ્યા, બતાવ્યું આ કારણ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી PM મોદીને મળ્યા, બતાવ્યું આ કારણ
X

કોલકાતાના રાજભવનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી બહાર આવ્યા અને કહ્યું કે વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત પ્રોટોકોલ બેઠક હતી અને તે દરમિયાન કોઈ રાજકીય વાતચીત થઈ નથી. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બંગાળના પ્રવાસે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીએ સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શેખ શાહજહાંને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.આ સાથે ટીએમસીએ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને માંગ કરી કે તેણે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, બ્રિજ ભૂષણ સિંહ અને અજય મિશ્રા ટેનીને પણ હાંકી કાઢવી જોઈએ.

પાર્ટી વતી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે, “શેખ શાહજહાંને ટીએમસીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે બે પ્રકારના પક્ષો છે. એક પક્ષ માત્ર બોલે છે અને અમે એક્શન લઈએ છીએ. હકીકતમાં, સંદેશખાલીની ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે શેખ શાહજહાં અને તેના સહયોગીઓએ તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું. તેઓએ જમીન પર અતિક્રમણ પણ કર્યું છે. 55 દિવસથી ફરાર શેખ શાહજહાંની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.

Next Story