ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં પ્લોટ નંબર ૭૭૮/૧માં કાર્યરત પાનોલી ઇન્ટરમીડીયેટ કંપનીમાં જ રહેતા અને વેલ્ડીંગનું કામ કરતા એક શ્રમજીવીનું કંપનીમાં કામ કરતા પડી જવાથી થયેલ ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું છે.
ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ પાનોલી ઇન્ટરમીડીયેટ પ્રા.લી.માં તા.૨૮મીની સાંજે ૪ કલાકની આસપાસ ૨૮ વર્ષીય જીતેન્દ્ર માતાદીન સિંગ વેલ્ડીંગનું કામ કરી રહ્યા હતા. દરમ્યાન બિલ્ડીંગ પરથી પડતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને રાજેન્દ્ર બાલુભાઇ પટેલ નામના કર્મી દ્વારા એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે અંકલેશ્વર ખાતે હોસ્પીટલમાં લવાયા હતા. જયાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ધટનાની વર્ધી જતા ઝઘડીયા પોલીસે શ્રમજીવીના મૃતદેહનો કબ્જો મેળવી તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથધરવા સાથે વધુ તપાસ હાથધરી છે.