જુનાગઢ: કાળઝાળ ગરમીની થઈ ગઈ શરૂઆત, સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓ માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

New Update
જુનાગઢ: કાળઝાળ ગરમીની થઈ ગઈ શરૂઆત, સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓ માટે કરાઇ અલાયદી વ્યવસ્થા

ઉનાળાની કાળઝાળ ગરમીની હજી તો શરૂઆત થઈ છે, ત્યારે જુનાગઢ ખાતે આવેલ સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓને ગરમી સામે રાહત મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો એ.સી. તેમજ એર કુલર જેવા આધુનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે, જ્યારે વન્યજીવો પણ ગરમીથી બચવા જંગલમાં નદી કાંઠે અથવા પાણીના પોઇન્ટ નજીક દિવસ પસાર કરી ગરમીથી રાહત મેળવતા હોય છે. પરંતુ ઝૂના પશુ-પક્ષીઓને ગરમીથી રાહત આપવી પડતી હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ભારેખમ ગરમી અને તાપ વરસતા જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં પશુ-પક્ષીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

જુનાગઢ સક્કરબાગ ઝૂમાં ગરમીથી રાહત માટે પક્ષીઓના પિંજરામાં ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેથી ગરમીના સીધા તાપમાંથી પક્ષીઓ બચી શકે. તથા નાના પક્ષી અને પ્રાણીઓને પાંજરા પર ભીના કંતાનો બાંધવામાં આવે છે. આ ઉપરાંત વાઘના પાંજરામાં પાણીના પોઇન્ટની અંદર બરફ મુકવામાં આવે છે. સિંહ અને દિપડાના પાંજરામાં પાણીના ફુવારાઓ લગાવવામાં આવે છે. તો સાથે જ ઉનાળાની સીઝન દરમ્યાન વન્ય જીવોના ખોરાકમાં પણ ઘટાડો થાય છે. જેથી ખાસ કરીને પશુ-પક્ષીઓને પાણી મળી રહે તેવો ખોરાક આપવામાં આવતો હોય છે. આમ હજુ તો ગરમીની શરૂઆત છે, ત્યાં લોકો તોબા પોકારવા લાગ્યા છે, ત્યારે પાંજરામાં કેદ વન્ય પ્રાણીઓ માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાબડતોડ વ્યવસ્થા શરૂ કરવાની ફરજ પડી છે.

Read the Next Article

PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

New Update
PM Modi Poland Visit

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.