નર્મદા : આવનારા 25 વર્ષ મહત્વપુર્ણ, સિવિલ સર્વિસના અધિકારીઓની જવાબદારી વધશે

New Update
નર્મદા : આવનારા 25 વર્ષ મહત્વપુર્ણ, સિવિલ સર્વિસના અધિકારીઓની જવાબદારી વધશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સિવિલ સર્વિસના ટ્રેઇની અધિકારીઓને સંબોધિત કર્યા હતાં. વડાપ્રધાનના હસ્તે રાજયની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.

કેવડીયા ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યથી સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, 

આવનારા 25 વર્ષ મહત્વપૂર્ણ છે અને તેમાં તમારા પર મોટી જવાબાદારી છે -આજની રાત્રે સુતા પહેલા પોતાની જાતને અડધો કલાક આપજો, પોતાના કામ અને પ્રણ વિષે લખીને રાખજો, જે કાગળ પર પોતાના સંકલ્પો લખશો તે ફક્ત કાગળનો ટુકડો નહીં હોય તમારા દિલનો ટુકડો હશે -સરદાર વલ્લભભાઇ પટેલ જ દેશની સિવિલ સર્વિસિસના જનક હતા, સરદાર પટેલે સિવિલ સર્વિસિસને દેશની સ્ટીલ ફ્રેમ કહ્યા હતા, મારો પણ એ જ આગ્રહ છે કે, તમે જે નિર્ણય કરો તે દેશ હિત માટે હોય -તમે અહીંથી ગયા પછી ટીમ બનીને કામ કરજો, તમારી ટીમ ભાવના તમારા નિર્ણયો પર મહત્વની બની રહેશે, -કોરોના મહામારી દરમિયાન સૌથી મોટી શિખ આત્મનિર્ભરતાની મળી છે -આજે નવિન, શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે તમારે સતત મંથન કરવુ પડશે

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદીએ કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો છે અને મોદી સી-પ્લેનના પહેલા પેસેન્જર બનીને અમદાવાદ રવાના થયા  હતાં. મોદીએ કોઈનું પણ નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશ ક્યારેય ભૂલી નહીં શકે કે પુલવામા હુમલા પછી દેશના વીર જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ દુખી હતો, ત્યારે અમુક લોકો આ દુખમાં સામેલ નહતા. તેઓ પુલવામા હુમલામાં પણ તેમનો રાજકીય સ્વાર્થ શોધી રહ્યા હતા.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને જવાનોએ એકતા પરેડ કરી હતી.