Connect Gujarat
નવરાત્રી 2023

નોરતાના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાને ધરાવો આ શક્કરીયાની ખીરનો ભોગ, માતાજી આપશે લાંબુ આયુષ્ય, જાણો બનાવવાની સરળ રીત....

શકરિયાની ખીર તમે માતાજીને પ્રસાદના રૂપમાં ધરીને માતાજીનાં આશીર્વાદ મેળવી શકો છો. તો જાણો જાણીએ આ ખીરને બનાવવાની સરળ રેસેપી

નોરતાના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાને ધરાવો આ શક્કરીયાની ખીરનો ભોગ, માતાજી આપશે લાંબુ આયુષ્ય, જાણો બનાવવાની સરળ રીત....
X

ખીર કોઈ પણ વસ્તુ માંથી બને તે ખૂબ જ સ્વાદિષ્ટ જ છે. આ એક પરંપરાગત મીઠી વાનગી છે. જે મોટા ભાગના ઘરોમાં બનાવવામાં આવે છે. ત્યારે આજે બીજા નોરતે માં બ્રહ્મચારિણીને ખાંડ કે ખાંડ માંથી બનેલી મીઠાઈનો ભોગ ધરવામાં આવે છે. તો આ શકરિયાની ખીર તમે માતાજીને પ્રસાદના રૂપમાં ધરીને માતાજીનાં આશીર્વાદ મેળવી શકો છો. તો જાણો જાણીએ આ ખીરને બનાવવાની સરળ રેસેપી..

શક્કરીયાની ખીર બનાવવાની સામગ્રી:-

· 4 મધ્યમ કદના શક્કરીયા

· 4 ચમચી ખાંડ

· 1 ચમચી ઘી

· 7 જીણી સમારેલી બદામ

· 5 જીણા સમારેલા કાજુ

· 1 લિટર દૂધ

· કેસર

શક્કરીયાંની ખીર બનાવવાની રેસેપી:-

·માતાજીનો ભોગ શક્કરીયાંની ખીર બનાવવા માટે સૌ પ્રથમ શક્કરીયાને બાફી લો.

· ત્યારે બાદ શકરિયા બફાઈ જાય પછી તેની છાલ ઉતારીને તેને છીણી લો.

· હવે એક કઢાઈમાં ઘી નાખો. પછી તેમાં છીણેલા શક્કરીયાં નાખી શેકી લો.

· આ પછી એક વાસણમાં દુધ ગરમ કરો. જ્યારે તે ઉકાળી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો.

· આ પછી અ શક્કરીયાં નાખી થોડી વાર હલાવતા રહો અનેદૂધ addhઉ થઈ જાય ત્યાં સુધી પકવતા રહો.

· ત્યાર બાદ પાકી જાય એટલે ગેસ બંધ કરી તેમાં સમારેલા કાજુ, બદામ અને કેસર નાખીને બરાબર મિક્સ કરી લો.

· તો તૈયાર છે ભોગમાં ધરવા માટેની શક્કરીયાંની ખીર......

Next Story